રાત થતાં સસલાં આજુબાજુની પોત-પોતાની બનાવેલી બખોલમાં જઈ બેસતાં.એક દિવસ પાણીની શોધમાં હાથીઓનું એક ટોળું સરોવર પર આવી પહોંચ્યું.સરોવરનું પાણી જોતાં તરસ્યાં હાથીઓ રાજી થતાં દોડયા.
ઘાસ ચરતાં સસલાંઓ ગભરાઈ ગયાં. તેઓમાં નાસભાગ મચી ગઈ.એક સસલું બોલ્યું, ભાગો ભાગો, હાથીઓનું મોટું ધસી આવ્યું છે. બધાં સલામત જગ્યાયે પહોંચી જઈએ.
હાથી નો સૂંઢ હલાવતાં ઝાડની ડાળી ઓનો કચ્ચરઘાણ વાળતા સરોવર તરફ દોડતા હતા. ઘણાં સસલાં હાથીના પગ નીચે છૂંદાઈ ગયાં. ઘણાં કેળનાં પાંદડાં પર ચડી ગયાં.
તે દિવસે સાંજે હાથીઓ પાછા વળ્યા. ડરી ગયેલાં બધાં સસલાંઓ ભેગાં થયાં. કોઈને ખબર પડતી ન હતી કે હાથીઓના પગ નીચે ચગદાઈ મરતાં કેમ બચવું ?
બે- ત્રણ સસલાંઓ બોલ્યાં, આ તો હવે રોજનું થયું. હાથીઓએ સરોવર જોઈ લીધું છે. તેથી રોજ આ રસ્તેથી આપણને ચગદીને જવના.આખરે એક ઘરડા સસલાએ કહ્યું, હું તમને બધાને હાથીના પગ નીચે ચગદાઈ જવા નહિં દઉં.
બધાં સસલાં ઝાંડીમાં જઈ ભરાયાં.બીજે દિવસે સૂરજ ઊગતાં જ ઘરડો સસલો હાથીઓના વડા ગજરાજ પાસે પહોંચ્યો. તેણે હાથ જોડી કહ્યું,ગજરાજ,મારા પ્રણામ સ્વીકારો. કોણ છે તું ? અહીં મારી પાસે કેમ આવ્યો છે. બોલ, જવાબ આપ. ગજરાજ રોફ જમાવતાં પૂછયું.
હું ચંન્દ્રદેવનો દૂત છું. મને ચંન્દ્રદેવે મોકલ્યો છે. ગઈ કાલે આપ અને આપના સાથીઓએ ચન્દ્રદેવના સરોવરને ગંદું કરેલ છે. વળી ઘણાં નિર્દોષ સસલાંઓને પણ ચગદી નાખ્યાં છે. તેથી ચન્દ્રદેવ તમારા પર ખૂબ કોપાયમાન થયા છે.
ગજરાજ સસલાની વાત સાંભળી ગભરાઈ ગયા ને બોલ્યા, તો અમારે શું કરવું ? આજે રાત્રે ચન્દ્રદેવ સરોવરમાં પધારશે.તમે ત્યારે આવી તેની માફી માગજો. ગજરાજ બોલ્યા,ભલે, તમારા કહેવા પ્રમાણે સાંજ પડતા હું ચન્દ્રદેવની માફી માંગવા હાજર થઈ જઈશ.
સાંજ થતાં હાથીઓ સરોવર- કિનારે ભેગા થયા. શાણો સસલો તેમની રાહ જોતો જ ઊભો હતો. પૂનમની રાત્રે સરોવરનાં શાંત પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. ઘરડા સસલાએ કહ્યું, ગજરાજ જુઓ ચન્દ્રદેવ આજે તમને શિક્ષા કરવાના છે. તમે તેની માફી માગી લો.
સસલાના કહેવાથી ગજરાજે ચન્દ્રદેવનાં ચરણસ્પર્શ કરવા જેવી સૂંઢ નમાવી કે પાણી હાલતાં ચંદ્રબિંબ ધૂરજવા લાગ્યું. સસલો તરત બોલ્યો,જુઓ ચન્દ્રદેવ તમારા પર ગુસ્સાથી ધ્રુજી રહ્યા છે ! માટે ફરીથી માફી માંગો.
ગભરાઈ ગયેલા ગજરાજ કહે, હે ચન્દ્રદેવ,અમે ફરી કદાપિ આ સરોવર તરફ નહિ આવીએ. અમને માફ કરો. થોડી વારમાં પાણી સ્થિર થતાં ચન્દ્રનું પ્રતિબિંબ પણ સ્થિર થયું.
ઘરડો સસલો કહે, ગજરાજ, બોલ પાળજો, ચંદ્રદેવ શાંત થાય છે ને તમને માફ કરી દીધા છે.ગજરાજે વિદાય લીધી. સસલાઓ નાચવા ને કૂદવા લાગ્યા. કોઈ તો વળી લપસિયા ખાવા લાગ્યા ને હીંચકવા લાગ્યા.

No comments:
Post a Comment