ગુરૂજી સ્મિત કરતા બોલ્યા, ભગવાન તારૂં ભલું કરે. દીકરા. મારી પાસે બધું જ છે. પણ જ્ઞાનનું એક મોટું પુસ્તક પર્વતની ટોચ ઉપર રહેતી ડાકણ પાસે વર્ષોથી પડ્યું છે. એ પુસ્તક વિના અમે કોઈ ગુરૂઓ તમને કોઈ પણ શિષ્યને પૂરૂ જ્ઞાન આપી શકતા નથી. બેટા, એ ડાકણ બહું શક્તિશાળી છે. જો તે ડાકણને જમીનમાં દાટી દેવામાં આવે તો જ તે ડાકણનું મૃત્યું થાય તેમ છે. વળી, ત્યાં પહોંચવું પણ ઘણું બધું અઘરૂ છે. તું યુવાન અને બહાદુર છે. શું તું મને એ જ્ઞાન કોષ લાવી આપીશ ?
વીરેન્દ્ર પણ પોતાના ગુરૂ માટે જાન આપવા તૈયાર થયો, તે તરત જ તૈયાર થઈ ગયો. ગુરૂજીએ તેના હાથમાં ત્રણ કાંકરા આપતા કહ્યું, તૂં ખૂબ જ મુશ્કેલીમાં હોય ત્યારે જ આનો ઉપયોગ કરજે.
વીરેન્દ્ર ઘણી મહેનતને અંતે ઝાડ ઉપર પહોંચ્યો. રાત પડી ગઈ હતી. તેણે ડાકણનાં મહેલમાં નજર નાંખી. જ્ઞાનકોષ તેની નજર સામે જ પડ્યો હતો. તેમાં દુનિયાભરનું જ્ઞાન હતું. ડાકણ બાજુના ઓરડામાં ઉંઘતી હતી. વીરેન્દ્રએ એ મોટું પુસ્તક હાથમાં લઈને તેના પર એક કાંકરો મૂક્યો. તેણે મનોમન ગૂરૂજીને યાદ કરીને કહ્યું કે આ પુસ્તક દિવાસળીના બાકસ જેટલું નાનું થઈ જાય. ખરેખર તે જ સમયે પુસ્તક નાનું થઈ ગયું. વીરેન્દ્રએ પુસ્તક પોતાના ખિસ્સામાં મૂકી દીધું. એ વખતે જ ડાકણ ઊંઘમાંથી જાગી ગઈ. તેણે વીરેન્દ્રને ગળેથી પકડીને કહ્યું. ઘણે વખતે મારા હાથમાં માનવશરીર આવ્યું છે તેથી હું તને નહી છોડું આજે તને ખાઈ જઈશ.
વીરેન્દ્ર ઘણો જ હોંશિયાર હતો તેથી તેની પાસે વઘેલા બે જાદુઈ કાંકરા યાદ આવ્યા. તેણે ડાકણને કહ્યું, તમે મને ખાઈ જાઓ તેનો મને વાંધો નથી. પરંતુ મને માત્ર પાંચ મિનિટનો સમય આપો, હું બાજુના ઓરડામાં જઈને છેલ્લા વાર મારા ભગવાનની પ્રાર્થના કરવા ઈચ્છું છું.
ડાકણના દિલમાં પણ રામ વસી ગયાં. એણે કેમ કરીને છોકરાની વાત સાચી લાગી. તેણે વીરેન્દ્રને બાજુના રૂમમાં મોકલી દીધો. પરંતુ તેણે એક શરત કરીઃ હું તારા શરીરને દોરડાથી બાંધી દઈશ જેથી તું ભાગી ન જાય.વીરેન્દ્ર કમરે દોરડું બંધાવીને અંધારામાં બીજા ઓરડામાં ગયો. ત્યાંથી બારીમાંથી કૂદીને બહાર જઈને પોતાના કમરેથી દોરડું છોડીને એક ઝાડ સાથે તેને બાંધી દીધું. ગુરૂજીએ આપેલ બીજો ચમત્કારીક પથ્થર તેણે ઝાડ પર વાપર્યો ઝાડ ઝાડ તું મારી જેમ બોલવા લાગ. ખરેખર ઝાડ વીરેન્દ્રની જેમ બોલતું થઈ ગયું.પેલી બાજુ ડાકણ વીરેન્દ્રને ખાવા માટે અધીરી થઈ ગઈ હતી. તેણે બૂમ પાડી ભાઈ, તુ હજી ત્યાં જ છે ને ?ઝાડ બોલ્યું, હા, હુ અહિં જ છું.
વીરેન્દ્ર તો ગુરૂજીના ઘર તરફ દોડવા લાગ્યો. તે લગભગ અડધે રસ્તે પહોંચી ગયો ત્યાં સુધીમાં ડાકણે બે ત્રણ વખત વીરેન્દ્રના નામની બૂમ પાડી. દર વખતે ઝાડે વીરેન્દ્રના અવાજમાં જવાબ આપ્યો. ઘણો સમય થયો એટલે ડાકણને શંકા ગઈ. તેણે દોરડું ખેચ્યું . તો પોતે જ પડી ગઈ. વીરેન્દ્ર પોતાને ઉલ્લું બનાવી ગયો છે તેની ખાત્રી થતાં ડાકણ વીરેન્દ્રને પકડવા માટે દોડી.
વીરેન્દ્રે હવે ત્રીજા જાદુઈ પથ્થરનો ઉપયોગ કર્યોને ડાકણના રસ્તામાં મોટો પર્વત બનાવી દેવાનું વરદાન માંગ્યું. વીરેન્દ્ર જોતજોતામાં ગુરૂજીને ઘેર પહોંચી ગયો. તેણે પુસ્તક ગુરૂજીને આપ્યું તથા ડાકણ પોતાની પાછળ પડી હોવાનું જણાવ્યું. ગુરૂએ વીરેન્દ્રને પોતાના ઘરમાં સંતાડી દીધો. ડાકણ પાછળ પાછળ આવી પહોચી. તેણે ગુરૂજીને કહ્યું, આપે એક છોકરો આ તરફ આવતો જોય છે ?
ગુરૂજીએ કહ્યું, હું એને શોધી લાવું છું. તું થોડું ખાઈ લે. તેમણે ડાકણને ઘણું બધું ખાવાનું આપીને રાજી કરી દીધી.ધર્મનાથે કહ્યું કે તારા જેવી શક્તિશાળી વ્યક્તિ આવા નાનકડા છોકરાની પાછળ પડે તે હું માની નથી શકતો ! તું મને ખૂબ મોટી બનીને બતાવીશ ? તરત જ ડાકણ પર્વત જેટલી મહાકાય થઈ ગઈ.ધર્મનાથે કહ્યું, અરે, વાહ, તું તો મહાન છે ! તું નાની પણ બની શકે છે !ડાકણ ફુલાઈને બોલી, હાસ્તો, હું ધારું, તેવું સ્વરૂપ ધારણ કરી શકું છું.
આમ બોલીને તે એક અનાજના દાણા જેટલી નાનકડી થઈ ગઈ. ધર્મનાથે એક ખાડો તૈયાર જ રાખ્યો હતો. તેમણે એ દાણાને ખાડામાં દાટીને ખાડો માટીથી પૂરી દીધો. હવે ડાકણ જમીનમાંથી ક્યારેય બહાર આવી શકે તેમ ન હતી, પણ તેની શક્તિ સોયાબીનના છોડના સ્વરૂપમાં બહાર આવી.
આ છે સોયાબીનની ઉત્પત્તિની કથા.આજેય શક્તિ મેળવવા માટે સોયાબીન ખાવામાં આવે છે.
બોધઃ-ખોટા વખાણથી ફુલાઈ જવું નહિ

No comments:
Post a Comment